Tuesday, December 8, 2009

દયા પ્રભુ ની ધરમ ની જય...

સૌરાષ્ટ્ર ની ભુમિ સંત સુરા અને બહારવટિયા ની કેવાણી છે. એટ્લે જ આયા કેવાણુ છે કે .

જનની જણ તો જણજે કા દાતા કા સૂર,
નહિતો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર .

અને આજેય પણ કાઠિયાવાડ ના કોઇપણ ગામે જાવ તો ગામ ની બહાર પાળિયા હોઇ. ગામમા કોઇક શુરવીર થઈ ગ્યા ની ઈ ઓળખાણ હતી. આ શુરા એટ્લે ઘરવારી યે બટેટા કાપવા બેહાઈડા હોઇ ને આંગળી કપાઇ જાઇ ને દેવ થઈ ગ્યા હોઇ ઈ નહિ, આતો ગામ ની ગાયુ વાળવા કે ગામ ભાંગવા લૂટારા આઇવા હોઇ એની હારે લડતા લડતા ખપી ગ્યા હોઇ એની વાત છે.એના પાળિયાઓ ને સિન્દૂર ને ધુપેલિયા થાઇ.

મારે વાત કરવી હતી સંતો ની. કાઠિયાવાડ એ સંતો ની ભુમિ. આજે પણ ગામે ગામ કોઇ ને કોઇ સાધુ સંતો ના વિસામા હોઇ જ. સત્તાધાર આપા ગીગા ની જઈગા, વિરપુર જલારામબાપા ની જઈગા, પરબ વાવડી સંત દેવિદાસ અમર મા નુ તોરણીયા ધામ, પાળિયાદ બાપુ ની જઈગા, બગદાણા બજરંગદાસ બાપા, સ્વામિનારાયણ નુ ગઢડા, સારંગપુર, ભારતી આશ્રમ જુનાગઢ, કેટ કેટ્લી જઈગા. બધેય ઓટલો મળે અને ચોવિસ કલાક અન્નષેત્ર ચાલુ.

વાત મૂળ છે રાજકોટ ના ભક્તો ની, એના ભક્તિ ભાવ ની. ભારે શ્રધ્ધાળુ બાકી, કોઇનોય આભળછેટ નહિ.એવુ કેવાય કે બાવા બઈના હે તો રાજકોટ આવવા પડે.. બસો પાંચસો માથા મળી જ જાય. આ ગામ મા બધી જાત નો ફાલ મળે. સ્વાધ્યાય કે સ્વામિનારાયણ, કે,આર્ટ ઓફ લિવીંગ કે બ્રહમાકુમારી કે હરિ ઓમ તત્સત કે, પ્રણામિ, કે હવેલી વાળા વૈષ્નવ કે પછી ભલે ને મોરારી બાપુ ને રામદેવજી મહારાજ હોઇ રાજકોટ મા સંધાય ના શીષ્યો મળે. (unity in diversity) યુનીટી ઇન ડાઈવર્સીટી મા માનવા વાળા પાછા બધા એક શેરી મા રેતા હોઇ ને કોઇ ના પણ ગુરુ ગામમા આવે ત્યારે નોતરૂ હોઇ કે નો હોઇ ગુંદી ગાંઠિયા ખાવા ને બાપુ, બાપા કે સંત ના દર્શન ને આશિર્વચન સાંભળવા પોગી જ જાઇ. મારી કુળદેવી ખોડિયાર હોઇ કે તારી હોઇ આશાપુરા , ઉંઝા મા ઉમિયા મહોત્સવ હોઇ એટ્લે બધાય પાણકોરા ના બે જોડી કપડા લઈ થેલીયુ ભરી ને બસુ મા બેહી જાવાના. ગમે એટ્લા મેદાનો હોઇ એ ટુંકા પાડી દયે એટ્લુ માનાહ ભેગુ થાઈ. પાછુ એવુ નથી કે ધરમ કરમ ના કામે જ લોકો ભેગા થાઈ, સ્વામી સચ્ચિદાનંદ, કે સ્વામી ધર્મબન્ધુ કે ગુણવન્ત શાહ કે સારા પ્રવચનકાર ને ન્યાય તડાકો પડે. અને છેલ્લે ભીખુદાનભાઇ ગઢવી કે હેમન્ત ચોહાણ કે દિવાળીબેન ભીલ કે, કોઇપન ગઢવી નો લોક ડાયરો ગમે ન્યા હોઇ, કલાકાર ગમે ઇ હોઇ, બસ જાવુ એટ્લે જાવુ જ. હમજાય કે નહી રાજકોટ મા રેવુ હોઇ તો જાવુ તો પડે જ.વેવાર મા રેવુ હોઇ તો જાવુ પડે જ.



બાકી શિયાળો હવે માંડ બેહુ બેહુ થઈ રયો છે ત્યારે તાજે તાજા લીલા મજાના શાક ભાજી ને ફ્રુટ ની રેકડીયુ હડિયુ કાઢે છે. અને આ લગન ની સીઝન ની તો શુ વાત કરુ, આ ૨૦૧૨ ફિલમ આવી છે ત્યારથી બધાય કુંવારા ને હવે પૈણવા ચઈડો છે, ગમે એવી દેખાતી હોઇ છોડી, બસ બધાય ને માંડવે બેહી જ જાવુ છે, ક્યાક રહી નો જવાય ની બીકે.

તયે હાલો હવે આ ટાઈઢુ મા જિંઝરા ને શેઈડી ને અડદિયા ને તલ સાંકળી ને ચીક્કી ની મોજુ લૂટ્વા આવી જાવ રાજકોટ...

1 comment:

Kem laigu tamne...